કચ્છમાં ધરા ધ્રુજવાનો સીલસિલો આજે પણ યથાવત જાવા મળ્યો. ૩૨ દિવસમાં ૬૬ વાર ધરા ધ્રુજી ચૂકી છે, ત્યારે આજે ફરી ત્રણ વાર ધરા ધ્રુજતાં લોકોમાં ભયનો માહોલ છવાઇ જવા પામ્યો હતો. ભચાઉની ધરા રાત્રીનાં આઠ કલાકનાં સુમારે ૩.૪ની તીવ્રતાનાં આંચકાથી ધણધણતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં.તો વહેલી સવારે પણ ૨ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો, તો રાપરની ધરા પણ ૨.૨ની તીવ્રતાનાં આંચકાથી ધ્રુજી હોવાનાં અહેવાલો સાંપડી રહ્યાં છે.
ગાંધીનગર સ્થીત સીસ્મોલોજી સેન્ટરમાંથી મળતી વધુ માહિતી મુજબ રાત્રીનાં ૮ને ૧૧ મીનીટે ૩.૪ની તીવ્રતાનો ભુકંપ આવ્યો હતો જેનું કેન્દ્રબિંદુ
આભાર – નિહારીકા રવિયા ભચાઉથી માત્ર ૯ કીમી દુર અને ૨૭.૫ કીમીની ઉંડાઇએથી ઉદ્ભવ્યો હતો. તીવ્રતા વધુ હોવાને કારણે લોકોને તેનો અનુભવ થતાં પોતાના ઘરમાથી બહાર દોડી આવ્યા હતાં. સદ્નસિબે કોઇ નુક્સાની થવા પામી ન હતી. જ્યારે બીજા આંચકો વહેલી પરોઢનાં ૪ને ૩૫ મીનીટે આવ્યો હતો, જેની તીવ્રતા પણ રીક્ટરસ્કેલ પર ૨ની અને કેન્દ્રબિંદુ ભચાઉથી માત્ર ૧૬ કીમી દુર અને ૨૪.૩ કીમીની ઉંડાઇએથી ઉદ્ભવ્યો હતો.
જ્યારે સમીસાંજે ૬ને ૪૭ મીનીટે રાપરની પણ ધરા ૨.૨ની તીવ્રતાનાં આંચકાથી ધ્રુજી હતી. જેનું કેન્દ્ર બિંદુ ૧૮ કીમી દુર નોંધાયુ હતું. જ્યારે ૨૦.૧ની ઉંડાઇએથી ઉદ્ભવ્યો હતો.
કચ્છમાં અવિરત પણે આવી રહેલા આંચકાઓને પગલે ભુગર્ભીય સરવળાટ વધુ તેજ બન્યો હોવાનું પણ ચિત્ર ઉપસી રહ્યું છે. એકબાદ એક અવિરત પણે ચાલી રહેલા આંચકાના સિલસિલાને પગલે છેલ્લા ૩૨ દિવસમાં જ ૬૬ વાર ધરા ધ્રુજી ચૂકી છે, જેમાં સાતથી વધુ આંચકા ૩ની તીવ્રતાથી વધુનાં તેમજ વીસ આંચકા બે કે તેથી વધુ તીવ્રતાનાં નોંધાયા છે.