સૌરાષ્ટ્ર્ર–કચ્છ સહિત રાયના મોટાભાગના વિસ્તારોમાં આજે લઘુત્તમ તાપમાન નું પ્રમાણ ૧ થી ૪ ડિગ્રી જેટલું વધ્યુ હોવા છતાં પવન અને ઠારના કારણે કાતિલ ઠંડીનું જોર યથાવત રહ્યું છે. નલિયામાં ગઈકાલે લઘુતમ તાપમાન ૫.૪ ડિગ્રી હતું કે આજે વધીને ૯.૮ ડિગ્રી થયું છે. રાજકોટમાં ગઇકાલે લઘુતમ તાપમાન ૮.૭ ડિગ્રી હતું તેમાં સામાન્ય વધારો થયો છે અને આજનું લઘુતમ તાપમાન ૯.૩ ડિગ્રી નોંધાયું છે
અમરેલીમાં આજનુ લઘુતમ તાપમાન ૧૧.૨ ડિગ્રી રહ્યું છે જે ગઇકાલના ૮ ડિગ્રી ની સરખામણીએ ત્રણ ડિગ્રી જેટલું વધુ છે.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ આજે રાજકોટમાં ૨૭ ટકા, અમરેલીમાં ૭૪%, નલિયામાં ૬૫ ટકા અને જૂનાગઢમાં ૮૨ ટકા રહ્યું છે .ગિરનાર પર્વત પર આજનુ લઘુતમ તાપમાન ૬.૪ ડિગ્રી નોંધાયું છે. જૂનાગઢ શહેરમાં ૧૧.૨ અને ભવનાથ તળેટીમાં ૯.૨ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. પવનની ગતિ સરેરાશ આઠ થી ૧૦ કિલોમીટર વચ્ચે રહેવા પામી છે.
(AAJKAAL)