X Close
X
9925128845

સરોની વધુ એક સફળતા: સેટેલાઇટ રિસેટ–૨ બી મિશન સફળ


Rocket%20Launcher

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો)એ શ્રીહરિકોટાથી પ્રક્ષેપણ યાન પીએસએલવી–સી૪૬ની સાથે ભારતના દરેક હવામાનની રડાર ઇમેજિંગ પૃથ્વી પર નજર રાખતા ઉપગ્રહ આરઆઇઇસેટ–૨બીનું સફળ પ્રક્ષેપણ કયુ. આ પ્રક્ષેપણ વહેલી સવારે ૫.૩૦ વાગ્યે કરાયું. ઇસરોએ કહ્યું કે પીએસએલપી૪૬એ રિસેટ–૨બીને પૃથ્વીની નીચલી કક્ષા (લો અર્થ આર્બિટ)માં સફળ રીતે સ્થાપિત કયુ.
ઇસરોની તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે પીએસએલવી–સી૪૬ને પોતાના ૪૮મા મિશન પર સવારે સડા પાંચ વાગ્યે અહીંથી ૧૩૦ કિલોમીટરથી વધુ દૂર આવેલા શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી પ્રક્ષેપિત કયુ.
આ ઉપગ્રહનું વજન ૬૧૫ કિલોગ્રામ છે અને તેને પ્રક્ષેપણના અંદાજે ૧૫ મિનિટ બાદ પૃથ્વીની નીચલી કક્ષામાં છોડવામાં આવ્યો. આ સેટેલાઇટ ગુ નજર, કૃષિ, વન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહયોગ જેવા ક્ષેત્રોમાં મદદ કરશે.
આ પ્રક્ષેપણ એટલા માટે મહત્વનું છે કારણ કે તે રિસેટ સેટેલાઇટનો ચોથો ઉપગ્રહ છે. તેની મદદથી દુશ્મનો પર નજર રાખવી અને ડિઝાસ્ટરના સમયે સાચી જાણકારી એકત્ર કરવી સરળ થઈ જશે. રિસેટની સેવાને ધ્યાનમાં રાખતા ૩૦૦ કિલોગ્રામનો રિસેટ–૨ સેટેલાઇટની સાથે સિન્થેટિક અપર્ચર રડાર ઇમેજરને પણ મોકલવામાં આવ્યું છે.
ઈસરોના જણાવ્યા મુજબ, વાદળ હોવાના કારણે રેગ્યુલર રિમોટ સેન્સિંગ કે ઓપ્ટિકલ ઈમેજિંગ સેટેલાઇટ ધરતી પર થઈ રહેલી નાની ગતિવિધિઓની યોગ્ય સ્થિતિ નથી જોઈ શકતા. સિન્થેટિક અપર્ચર રડાર આ ખામીને દૂર કરશે. તેની મદદથી ઘેરા વાદળ છવાયેલાં હોય કે જોરદાર વરસાદ પડી રહ્યો હોય કે પછી રાતનું અંધાં હોય, તે સાચી તસવીર જાહેર કરશે. તેનાથી ડિઝાસ્ટરના સમયે રાહત પહોંચાડવી અને સુરક્ષાદળોને દુશ્મનોના ઠેકાણાઓની સાચી જાણકારી મેળવવામાં સરળતા રહેશે.
ઇસરોના પ્રમુખ શિવને સેટેલાઇટના સફળ લોન્ચિંગ પર ખુશી વ્યકત કરી છે. તેમણે કહ્યું કે મને એ માહિતી આપતા ખૂબ જ ખુશી છે કે પીએસએલવી૪૬નું લોન્ચ સફળ રહ્યું. આ મોટી ઉપલબ્ધિ છે. તેમણે આ મિશનમાં લાગેલા તમામ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા

(AAJKAAL)
Aajkaal