સામાન્ય રીતે આપને એવું માનતા હોય છીએ કે બેક્ટેરિયા અને વાઇરસ જ રોગોનું મૂળ હોય છે, પરંતુ હવે એક નવાં સંશોધનમાં જાણવા મળ્યું કે હૃદયને તંદુરસ્ત રાખવા અને હૃદય સંબંધિત રોગોનું જોખમ ઘટાડવા માટે એક વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયાનું સેવન કરવામાં આવે તો રોગો થવાનું જોખમ ઘટે છે.
અક્કરમેન્સિયા મ્યૂસિનીફિલા નામના બેક્ટેરિયા માનવ આંતરડામાં રહેલા બેક્ટેરિયાની એક જાતિ છે. આ બેક્ટેરિયાનો જો પેસ્ટરાઇઝ્ડ ફોર્મમાં ઉપયોગ કરવામાં આવે તે આ હૃદય રોગ સાથે જોડાયેલા જોખમી પરિબળો સામે રક્ષણ પૂરું પાડે છે. માનવશરીરમાં અસરકારક બેક્ટેરિયાનો અભ્યાસ કરવામાં આવ્યો છે. જેમાં ૪૨ સહભાગીઓને પસંદ કરવામાં આવ્યા હતા અને ૩૨ લોકોએ આ પરીક્ષણ પૂર્ણ કર્યું.
પ્રતિભાગીઓને બે જૂથોમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. જેમાં એક ગ્રુપે જીવંત બેક્ટેરિયા અને બીજા ગ્રુપે પેસ્ટરાઇઝ્ડ બેકટેરિયા લીધા હતા. આ બંને ગ્રુપના સભ્યોને તેમના ખાવા-પીવા અને શારીરિક પ્રવૃત્તિઓમાં ફેરફાર કરવાનું કહેવામાં આવ્યું હતું. તેમને અક્કરમેન્સિયા પોષક પૂરક તરીકે આપવામાં આવ્યા હતા. અક્કરમેન્સિયાનું સેવન આ પ્રતિભાગીઓને સતત ત્રણ મહિના માટે કરવાનું હતું.જેથી રોગો થવાનું જોખમ ઘટે છે.