પ્રથમ વખત પૂર્ણપણે ભરાયેલા નર્મદા ડેમની વિઝિટે આવેલા અને નર્મદા નીરના વધામણા કરવા માટે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા થી આજે બપોરે ગાંધીનગર આવી પહાેંચ્યા હતા અને માતા હીરા બા ના આશીવાર્દ મેળવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના જન્મદિવસે માતાના આશીવાર્દ લેવા માટે ગાંધીનગર આવ્યા બાદ બપોરે સરકાર અને સંગઠન માળખાના ટોચના આગેવાનો સાથે રાજભવનમાં મહત્વની બેઠક યોજી દિલ્હી જવા નીકળી ગયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ આગામી તારીખ 2 આેક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાતની મુલાકાતે આવશે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી નિમિત્તે ગુજરાતમાં તેની ભવ્ય ઉજવણી કરવામાં આવશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમાં ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત સમગ્ર ગુજરાતના સરપંચ નું સંમેલન પણ ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર માં બોલાવવામાં આવશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છતા, બેટી બચાવો સહિતના વિવિધ મુદ્દાઆેને આવરી લઈને સરપંચોને સંબોધન કરશે.