રાજકોટના તરઘડીયા ગામે ભાવેશભાઈની વાડીમાં ખેત મજુરી કામ કરતા પરપ્રાંતી નવદંપતીએ સજોડે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. બે માસ પહેલા જ લગ્નના તાંતણે જોડાયેલા દંપતીને માનસિક બિમાર થઈ જતાં કંટાળી જઈ આ પગલું ભર્યું હોવાનું બહાર આવતા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મુળ એમપીના અને હાલ રાજકોટના તરઘડીયા ગામ નજીક ત્રિમંદિર પાસે આવેલ ભાવેશભાઈ ધીરૂભાઈ ચાવડાની વાડીમાં ખેત મજુરી કામ કરતા અંકલ લાલજી વસુનીયા ઉ.વ.21 નામનો આદિવાસી યુવાન અને તેની પત્ની ભુરી ઉ.વ.20 ગઈકાલે સાંજે વાડીએ હતા ત્યારે ઝેરી દવા પી જતાં બન્નેને સારવાર માટે અહીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા કુવાડવા પોલીસે હોસ્પિટલે દોડી જઈ વિશેષ તપાસ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમીક તપાસમાં અંકલ અને ભુરીના બે માસ પહેલા જ લગ્ન થયા હતા અને લગ્ન બાદ બન્ને પરિવારજનો સાથે તરઘડીયા ગામે ખેત મજુરી કામ કરતા હોવાનું અને છેલ્લા કેટલાક સમયથી બન્નેને માનસિક બીમાર થઈ જતાં પરિવારજનોએ વળગાડ સમજી ગાેંડલ નજીક દરગાહે પણ લઈ ગયાનું જણાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(AAJKAAL)