X Close
X
9925128845

મલાઈકા અરોરાએ અર્જુન કપૂરને જણાવ્યું આવો હોય ‘સાચો પ્રેમી’ !


0011c668-3d5a-4f55-a558-924de32ee971

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ઘણા સમયથી રીલેશનશીપમાં છે. હાલ બંનેના સંબંધને લઈને ભારે ચર્ચાઓ થઇ રહી છે. સોશિયલ મીડિયામાં પણ અર્જુન અને મલાઈકા અવારનવાર તેઓની સાથે તસ્વીરો શેર કરતાં નજરે પડતાં હોઈ છે. જોકે બંનેએ અત્યારે તો પોતાના રીલેશનશિપને જાહેરમાં સ્વીકાર્યો પણ છે. ત્યારે હાલમાં જ મલાઈકાએ પ્રેમ પર એક પોસ્ટ શેર કરી જેમાં અર્જુન કપૂરને ટેગ કર્યો હતો. મલાઈકાએ આ પોસ્ટ પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી હતી. જેમાં તેણીએ લખ્યું હતું કે, “રાઈટ લવર્સ.. સાચો પ્રેમી ક્યારેય ચિંતાનું કારણ ના બને. તમે તેની સાથે શાંતિ અનુભવશો. તે તમારી અંદર ચાલેલા યુદ્ધને ખતમ કરી દેશે અને હાડકાંને અમૃતથી ભરી દેશે.” આ લખાણમાં મલાઈકાએ અર્જુનને ટેગ કર્યો હતો.
થોડાં સમય પહેલાં અર્જુન અને મલાઈકાના લગ્નને લઇ બંને ભારે ચર્ચામાં રહ્યા હતા. ત્યારે અર્જુન કપૂરને લગ્નને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ત્યારે અર્જુને કટાક્ષમાં જણાવ્યું હતું કે, લોકો મારા લગ્નની વાતો લઈને ચર્ચા કરે છે એ માટે હું કોઈ વ્યક્તિને દોષી ગણતો નથી, લોકોને મારા લગ્નની બાબતે ઘણો રસ છે.
અર્જુને એમ પણ જણાવ્યું હતું કે જયારે એ લગ્ન કરવાનું નક્કી કરશું ત્યારે ચોક્કસપણે એ વાતને જગજાહેર કરશું. એમ પણ જો હું દુનિયાથી છુપાઈને લગ્ન કરીશ તો મારા પરીવારજનોને પણ એ વાત નહિ ગમે. એટલે જો એવું કંઈ પણ હશે તો હું ચોક્કસથી જાણ કરીશ.

(AAJKAAL)
Aajkaal