વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રાેજેક્ટ પૈકીના એક એવા અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રાેજેક્ટ ઉપર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. મહારાષ્ટ્રની નવી સરકારે આ પ્રાેજેક્ટની સમીક્ષા કરવાના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રી ઉÙવ ઠાકરે રાજ્યમાં ચાલી રહેલા તમામ કામની સમીક્ષા કરવા આદેશ આપ્યો છે જેમાં બુલેટ ટ્રેનનો પ્રાેજેક્ટ પણ સમાવિષ્ટ છે. હવે જોવાનું એ રહ્યું કે મહારાષ્ટ્રની સરકાર આ મામલામાં શું નિર્ણય કરે છે. આ પ્રાેજેકટની સમિક્ષા કરવાની જાહેરાત સાથે જ ગુજરાતના વિરોધની શરૂઆત શિવસેના દ્વારા થઈ ગઈ છે.
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રાેજેક્ટ શરૂ થઈ ચૂક્યો છે પરંતુ મહારાષ્ટ્રના અનેક ગામડાઆે અને ખેડૂતોએ પ્રાેજેક્ટનો વિરોધ કર્યો હતો અને જમીન આપવાનો ઈનકાર કરી દીધો હતો. હવે નવી સરકાર ખેડૂતો માટે આ પ્રાેજેક્ટની બીજી વખત સમીક્ષા કરવા માગે છે.
ઉÙવ ઠાકરેનું કહેવું છે કે અમારી સરકાર આમ આદમીની સરકાર છે. અમે લોકો બુલેટ ટ્રેન પ્રાેજેક્ટની સમીક્ષા કરી રહ્યા છીએ પરંતુ હજુ સુધી મેં આ પ્રાેજેક્ટને અટકાવવા માટે નથી કહ્યું.
ઉલ્લેખનીય છે કે બુલેટ ટ્રેન પ્રાેજેક્ટના ફન્ડીગમાં રાજ્ય સરકારોએ પણ ભાગ આપવાનો છે. તેમાં મહારાષ્ટ્રનો 25 ટકા હિસ્સો છે. કાેંગ્રેસ-એનસીપી-શિવસેનાની આ સરકારનો દાવો છે કે તે ટૂંક સમયમાં મહારાષ્ટ્રની આર્થિક સ્થિતિ ઉપર શ્વેતપત્ર લાવશે કેમ કે રાજ્ય સરકાર ઉપર અંદાજે પાંચ લાખ કરોડનું કરજ છે.