ચોમાસા દરમિયાન પ્રથમ વાયુ વાવાઝોડું બીજુ તા.22ના કયાર અને ત્રીજુ તા.7નાં મહા વાવાઝોડા આવેલ હતા આ ત્રણે વાવાઝોડાને કારણે માછીમાર ભાઈઆે જયારે પોતાની ફિસિંગ બોટો લઈને દરિયામાં જાય ત્યારે મોટી નુકસાની કરીને પોતાની ફિસિંગ બોટો પરત લાવે છે. એક બોટ ફિસિંગમાં જવા માટે પોતાની બોટમા બરફ, ડીઝલ, રાશનની સામગ્રી વગેરેના રૂા.3થી અઢી લાખનો ખર્ચે કરીને દરિયામાં જતા હોય છે અને આવા વાવાઝોડાને કારણે માછીમાર ભાઈઆે ફિસિંગ કર્યા વગર પોતાની બોટો પરત લાવવાની થાય છે અને મોટી નુકસાની ભોગવવી પડે છે આ રીતે બોટ પરત લાવવાને કારણે માછીમાર ભાઈઆેને આશરે 500 કરોડ જેટલી જંગી નુકસાની ગયાનું અનુમાન છે જે જખ્ખોથી જાફરાબાદ સુધીની છે.
આ બાબતે સરકારને વારંવાર રજુઆતો કરવા છતાં આ માછીમાર ભાઈઆેને કોઈજાતનું વળતર ચૂકવવામાં આવતું નથી. આ બાબતે સરકારને નમ્ર વિનંતી સાથે રજૂઆત કરવામાં આવેલ છે કે, જમીન પરના ખેડૂતભાઈઆેને તેમના ખેતરમાં કુદરતી આફતોને કારણે જે વળતર ચૂકવવામાં આવે છે તેજ રીતે સાગર ખેડૂ ભાઈઆેને પણ નુકસાનીની વળતર ચૂકવવી જોઈએ તે બાબતે સંયુકત કોળી સમાજ ભીડિયા પ્લોટના પટેલ ધનજીભાઈ લક્ષ્મણભાઈ વૈશ્ય તથા સંયુકત કોળી સમાજ માછીમાર બોટ એસોસિએશનનાં પ્રમુખ વશરામભાઈ સોલંકી દ્વારા સરકારને રજૂઆત કરી અને વળતર માટે માગણી કરેલ છે.