પોરબંદરમાં ગાંધીજીને કાવ્યાત્મક રીતે આર્યકન્éા ગુરૂકુળમાં રજુ કરવામાં આવ્éા હતા.
મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ નિમિતે સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા ગુરૂકુલ મહિલા કોલેજના સહયોગથી ગાંધી -કાવ્યોત્સવનું આયોજન સર્જનાત્મક અભિવ્યકિતધારાના નેજાહેઠળ કરવામાં આવેલ. આ કાવ્યોત્સવના ઉદઘાટક પોરબંદરના પ્રસિધ્ધ સાહિત્યકાર ઇતિહાસવિદ અને પુરાતત્વના જાણકારી નરોતમભાઇ પલાણ રહ્યા હતા. આ કાવ્યોત્સવમાં પધારેલા નરોતમભાઇ પલાણ, વિનોદભાઇ જોશી, કવિશ્રી મનોજ જોશી, ભાગ્યેશ જહા, સ્નેહી પરમાર, કવિ સ્નેહલ જોશી, લક્ષ્મી ડોબયિર, રાકેશ હાંસલિયા વગેરે ઉપિસ્થત રહ્યા હતા. આ કવિવૃંદ તથા પધારેલા અન્ય મહેમાનોનું શાિબ્દક સ્વાગત કોલેજના પ્રિન્સીપાલ ડો. અનુપમભાઇ નાગરે કરેલું તથા સ્વાગતની સાથે નાગર સેર પોતાની આગવી શૈલીમાં ગાંધીજી તથા ગુરૂકુલની તપોભૂમિ વિશે કાવ્ય પ્રસ્તુત કરેલ.
આ કાવ્યોત્સવના ઉદઘાટક પોરબંદરના પ્રસિધ્ધ સાહિત્યકાર ઇતિહાસવિદ અને પુરાતત્વના જાણકાર નરોતમભાઇ પલાણે પોતાના વકતવ્યમાં ગાંધીજીના આ ભૂમિમાં પગલા પડયા ત્યારથી લઇ તેઆેએ સ્થાપેલ છાયાની સંસ્થાનો ઉલ્લેખ કયોર્. આ ઉપરાંત ગાંધીજી વિશે પ્રથમ કવિતા દુહા દ્વારા કવિ ભુદરજી જોશીએ લખી જેમાં ગાંધીજીના જીવન ચારિત્રની ઝાંખી જોવા મળે છે.
ડો. વિનોદ જોશી જેઆે સંયોજક ગુજરાતી પરામર્શ મંડળ, સાહિત્ય અકાદમી દિંી જેઆેએ પોતાના વકતવ્યમાં કાવ્ય વિશે, કાવ્યના મર્મ અને ભાવ વિશે, સાહિત્ય અકાદમીનો પરિચય અને અકાદમીની પ્રવૃતિ વિશે સુંદર સમજ આપી. અને અકાદમી દ્વારા દર 11 કલાકે 1 પુસ્તક પ્રકાશિત થાય છે તે જણાવેલ. આ ઉપરાંત દેશની ર4 ભાષાઆે ઉપર સુંદર કાર્ય થાય છે તેવું જણાવેલ. જયારે કવિ તરીકે તેઆેએ સરળ સહજરૂપે પોતાના કાવ્યનું ગાન કરીને છાત્રાઆેને રસથી તરબોળ કરી દીધી. ધો. 10, 1ર માં ગુજરાતી વિષયમાં પોતાના કાવ્યોને સુંદરરૂપે રજુ કરેલ. કવિ વિનોદ જોશીએ દીકરીના જીવનની વાસ્તવિકતાને કુચી આપો બાયજી! તમે કયા પટારેમેલી મારા મૈયરની શરણાઇજી ! રજુ કરી જેમાં તેઆેની સરળતા અને સહજતાના દર્શન થયેલા. તેવી રીતે રાકેશ હાંસલિયા કવિ મનોજ જોશી વગેરેએ ગાંધીજી પર પોતાની કવિતાઆેને રજુ કરેલ.
કવિ સ્નેહી પરમારે પણ પોતાની કવિતા સુંદરરૂપરજુ કરી સાથ સુંદર ગઝલ પણ વ્યકત કરી. કવિયત્રી લક્ષ્મી ડોબરિયાએ ગાંધીજીને દેશના ગૌરવ ગણાવ્éા અને સત્ય અહિંસાનું વ્રત કાયમી પાળી દુનિયાને તેની તાકાત બતાવી તેવા ભાવસભર કાવ્યની પ્રસ્તુતિ કરી.
કવિશ્રી ભાગ્éેશ જહાએ ગુજરાતી અને અંગે્રજીમાં ગાંધીજીના જીવનને ધ્યાનમાં રાખીને કવિતા પ્રસ્તુત કરી. કવિ રાકેશ હાંસલિયાએ તબીયતે કહ્યું કંટાળીને, હવે હવા પણ આપજો ઉકાળીને કાવ્é દ્વારા વર્તમાન જીવન અને પ્રદુષણ પર વાત કરી. વિદ્યાથ}ની અદિતિ દવેએ પોતાની પ્રથમ કિવ્ત ગાંધીજી પર લખેલી જે સુંદર રીતે રજુ કરી. કાર્યક્રમનું સંચાલન ડો. શાંતિબેન મોઢવાડિયા તથા ડો. સ્નેહલ જોશીએ કરેલ તથા આભારદર્શન ડો. ઉષાબેન મકવાણાએ કરેલ. સમગ્ર કાર્યક્રમમાં પ્રેરણા અને પ્રાેત્સાહન પ્રિન્સીપાલ ડો. નાગરે પુરૂ પાડેલ તથા અધ્યાપક મિત્રોના પુરા સહયોગથી કાર્યક્રમને સફળતા મળેલ.