રાજ્યમાં નવી જંત્રીના અમલને લઈ ચાલી રહેલી અફવાઆે પર રાજ્યના મહેસુલમંત્રી કૌશિકભાઈ પટેલે પૂર્ણવિરામ મુકી દીધું છે. રાજ્યમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે ચાલી રહેલા મંદીના દોર વચ્ચે નવી જંત્રી અમલી બનાવવાનો સરકારની કોઈ વિચારણા નથી. રાજ્યમાં મહેસુલી આવકનો મોટો સ્ત્રાેત ગણાતી જંત્રીનો મુદ્દાે લાંબા સમયથી ચર્ચામાં છે. મહારાષ્ટ્ર પેટર્ન પર જંત્રીની અમલવારી કરાવવા માટે અત્યાર સુધીમાં બે વખત સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ સર્વે બાદ નવી જંત્રીની અમલવારી એક યક્ષપ્રñ બની રહ્યાે છે.
રાજ્યમાં 2011માં જંત્રીના નવા દર લાગુ કરવામાં આવ્યા હતા. આ જંત્રીના દરમાં સુધારા કરવા જુદા જુદા કારણોસર વિલંબ થઈ રહ્યાે છે. આ વિલંબમાં રાજકીય કારણોની સાથે રિયલ એસ્ટેટ બજારમાં ચાલતી મંદી, રેરાની અમલવારી જેવા ફેકટરો મહત્વના રહ્યા છે.
2016માં સર્વેની કામગીરી કરવામાં આવી હતી. ડીઆઈએલઆરની સૂચના કરી દસ્તાવેજની નાેંધણી નવા સર્વે નંબરો તથા બજાર કિંમત અને જંત્રીદરમાં રહેલા ફેરફાર માટે આવેલી વિવિધ ફરિયાદોને લક્ષ્યમાં લઈને રાજ્યનું મહેસુલ વિભાગ કવાયત કરી રહ્યું છે.
સ્ટેમ્પ અધિકારીના જણાવ્યા અનુસાર રાજ્યમાં મહારાષ્ટ્ર પેટર્નથી નવી જંત્રીનો અમલ કરવા માટે રાજ્ય સરકારે અગાઉ ચાર વખત સર્વે કરાવી દીધા છે જેમાં ગ્રામિણ વિસ્તાર અને શહેરી વિસ્તારોને અલગ-અલગ બ્લોકમાં વિભાજિત કરીને જંત્રીની ગણતરી કરવામાં આવી હતી. આ મેથર્ડ ખુબ જ સાયન્ટિફિક રીતે તૈયાર કરવામાં આવી છે.
મહારાષ્ટ્ર પેટર્નની જંત્રીમાં વિસ્તારોમાં થતાં દસ્તાવેજ મિલકતોની રકમ અને આકારણીને ધ્યાનમાં લઈને જંત્રીના દરમાં પ્રતીવર્ષ વધારો આેટોમેટિક થઈ જાય તેવી સીસ્ટમ તૈયાર કરવામાં આવી છે.
આ અમલવારી પૂર્વે રાજ્ય સરકારે કેટલીક પ્રક્રિયાઆે પૂર્ણ કરવી ફરજિયાત છે જેમાં કેબિનેટની મંજૂરી બાદ રાજ્યપાલની મંજૂરી ગેઝેટ પ્રસિધ્ધિ બાદ જ અમલ શકય બનશે.
રાજ્યના વિવિધ મહાનગરોમાં આવેલા બિલ્ડરો અને પ્રાેપર્ટી ધારકોના સુજાવ બાદ જ નવી જંત્રી અમલી શકય છે. અત્રે નાેંધવું જરૂરી છે. 2011માં તત્કાલીન મહેસુલમંત્રી આનંદીબેન પટેલને તેમણે આપેલી જંત્રીના દર અને મિલકતના ભાવની વિસંગતતાને લઈને લગભગ ત્રણ વખત સુધારા લાવવા પડયા હતા જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર આ મુદ્દે કોઈ ઉતાવળ કરવાના મુડમાં નથી.