ચોટીલાના ઢોકળવા ગામની સીમમાં વાડીની અંદર દીપડો હોવાની જાણ કરવા છતાં વન કર્મચારી ફકત લાઠી સાથે દોડી જતાં લોકોમાં આòર્ય ફેલાયું હતું અને અંતે વન વિભાગે સાંજે પકડવા માટે પાંજરૂ મુકીને પકડવા માટે કવાયત હાથ ધરી છે.
ચોટીલા તાલુકાના ઢોકળવા વિસ્તાર ત્રણ તાલુકાની ત્રિભેટે આવેલ છે. નજીક જસદણનું જંગલ, બાજુમાં આણંદપુર જંગલ છે ત્યારે મદાવાના રસ્તે આવેલ વાડી વિસ્તારમાં હીસક જાનવરની રંજાડ હતી જે આજે નજીકની એક વાડીમાં ઘુસી જતાં વન વિભાગને જાણ કરી હતી. જો કે, વન કર્મચારી સવારે જાણ થતાં ખાલી લાઠી સાથે ઢોકળવા દોડી ગયેલ અને તેની નજર સામે દીપડો હોવા છતાં પકડી શકેલ નહી અંતે સાંજે પકડવા પાંજરૂ ગોઠવેલ ફરી કવાયત હાથ ધરી છે.
સીમ વિસ્તારમાં દીપડો હોવાથી ખેતરોમાં માલઢોર સાથે રહેતા ખેડુતોમાં ઉચાટ ફેલાયો છે અને રાત્રીના રખોપા માટે જતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. વહેલી તકે હિંસક જાનવરની રંજાડ વધે તે પહેલા તેને ઝબ્બે કરાય તેવી માંગ ઉઠી છે. વન વિભાગે મુકેલ પાંજરૂ અને ખેતરમાં દોડતા દીપડાની તસવીર.