ટંકારા ઓરપેટ ટ્રસ્ટના મંત્રી ધનજીભાઈ ઝાલરિયા દ્રારા નગરપાલિકાની સીટી બસ ટંકારા સુધી લંબાવવાની માંગણી કરાયેલ છે.
ઓરપેટ સંકૂલમાં કન્યાઓ માટે વિવિધ અભ્યાસક્રમો ચાલે છે. માધ્યમિક કન્યા વિધાલય, ઉચ્ચતર માધ્યમિક સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ, બીએ. બી.કોમ. તથા સાયન્સ કોલેજ ચાલે છે. આશરે એક હજાર બહેનો ઓરપેટ સંકૂલમાં અભ્યાસ કરે છે.
મોરબી તથા શનાળા, વીરપર, લજાઈથી બહેનો ઓરપેટ સંકૂલમાં જૂદી જૂદી વિધાશાખામાં શિક્ષણ મેળવે છે. ૧૫૦થી વધુ બહેનો અપ–ડાઉન કરી અભ્યાસ કરે છે.
આ બહેનોને અપ–ડાઉન માટે એસટી બસોની પુરતી સુવિધા નથી પરિણામે વિધાર્થિનીઓને મુશ્કેલી પડે છે. અભ્યાસ પુરો થઈને છૂટવા પછી બહેનો બે કે ત્રણ બસોમાં પણ સમાતી નથી. શાળા–કોલેજ છૂટયા પછી અઢીથી ત્રણ કલાકે ઘરે પહોંચે છે.
એસ.ટી.તત્રં દ્રારા વિધાર્થિઓ માટે મોરબી–ટંકારા શટલ બસ શરૂ કરાતી નથી. ઓરપેટ ટ્રસ્ટના ટ્રસ્ટી ધનજીભાઈ ઝાલરિયા તથા સ્ટાફ દ્રારા મોરબી નગરપાલિકાની સીટી બસને ટંકારા સુધી લંબાવી આપવા નગરપાલિકા પ્રમુખને રજૂઆત કરેલ છે. હાલમાં મોરબી સીટી બસ લજાઈ સુધી ચાલે છે. ફકત છ કિલોમીટર લંબાવવા માંગણી છે