મુંબઈ,તા.૯
બોલીવુડ અભિનેત્રી જુહી ચાવલા મુંબઈના દાદરમાં આયોજિત કાશ્મીર પ્લેકાર્ડ પ્રોટેસ્ટમાં શામેલ થઈ હતી. ત્યાં તેમણે બીજેપી કાર્યકર્તાઓને સંબોધિત કાર્ય હતા.
દેશના નાગરિકતા સંશોધન કાયદા વિષે બોલીવુડમાં બે મત જોવા મળે છે. ઘણા તેનો વિરોધ કરે છે તો ઘણા તેના સમર્થનમાં છે. જેની તાજી ઘટના મુંબઇમાં બની છે જ્યાં અભિનેત્રી જુહી ચાવલા સીએએનું સમર્થન કરતી નજર આવી છે.
ખરેખર જુહી ચાવલા મુંબઈમાં “ફ્રી કાશ્મીર પ્લેકાર્ડ પ્રોટેસ્ટ”માં સામેલ થઈ હતી. ત્યાં વિરસાવરકર સ્મારક પર તેમણે બીજેપી કાર્યકર્તાઓને સંબોધિત કાર્ય હતા. આ પ્રોટેસ્ટમાં જુહી ચાવલા સાથે દિલીપ તાહિલ, બીજેપી નેતા સુધીર મૂંગતીવાર અને ગોપાલ શેટ્ટી પણ જોવા મળ્યા હતા. આ પ્રોટેસ્ટમાં બીજેપી કાર્યકર્તાઓએ મહારાષ્ટ્રની સરકાર વિરુદ્ધ ખુબ નારાઓ લગાવ્યા હતા.
જુહી ચાવલાએ પીએમ મોદીના ખુબ વખાણ કર્યા:
જુહી ચાવલાએ પીએમ મોદીના વખાણ કરતા કહ્યું હતું કે,” અહિયાં ઉપસ્થિત લોકોમાંથી કેટલા એવા છે જેણે પાંચ વર્ષમાં એક પણ રજા લીધી ન હોય. ફક્ત એક જ વ્યક્તિ પીએમ મોદી છે જેણે છેલ્લા પાંચ વર્ષમાં એક પણ રજા લીધી નથી.” આ ઉપરાંત એમ પણ કહ્યું હતું કે, હું કોઈ પાર્ટી કે પોલીટીક્સની નહિ પરતું એક વ્યક્તિની વાત કરી રહી છું જે આપણા વડાપ્રધાન છે જે હંમેશા દેશને આગળ વધારવાની વાત કરે છે અને એ જ વિચારે છે કે દેશના હિત માટે શું કરવું જોઈએ.