ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાએ વિધિવત એન્ટ્રી લઈ લીધી છે તેવી સત્તાવાર જાહેરાત ભારતીય વેધશાળા દ્વારા કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ચોમાસુ આગળ ધપવા માટે પુરતા સાનુકુળ સંજોગોનું નિમાર્ણ થયું છે અને તેના કારણે આજે કચ્છ, છોટા ઉદેપુર, આણંદ, પંચમહાલ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે સવારે 8 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન ગુજરાતના 31 જિલ્લાના 147 તાલુકાઆેમાં સામાન્યથી 1&& ઇંચ વરસાદ થયો છે. પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવંી, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહિસાગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં મેઘમહેર થઈ છે.
બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં 25, દાતામાં 47, દીઆેદરમાં 26, પાલનપુરમાં 23, સાબરકાંઠા જિલ્લાના પોશીનામાં 24, ખેડાના કપડવંજમાં 48, આણંદમાં 26, આંકલાવમાં 22, વડોદરાના કરજણમાં 29, વાઘોડિયામાં 23, છોટા ઉદેપુરના સંખેડામાં 29, ભરૂચમાં 35, જંબુસરમાં 25, નેત્રંગમાં 40, નર્મદા જિલ્લાના ડેડિયાપાળમાં 64, તાપી જિલ્લાના નિઝરમાં 67, વાલોદમાં 34 મીમી વરસાદ નાેંધાયો છે.
બંગાળની ખાડીમાં રવિવારે લો-પ્રેશર સજાર્શેઃ ગુજરાત પર સાયકલોનિક સરકયુલેશન
શનિવાર સુધી સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
રાજકોટઃ આગામી તા.29ને શનિવાર સુધી ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અને ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, નર્મદા, ભરૂચ, ડાંગ, દાહોદ, છોટા ઉદેપુર સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે અને અમુક સ્થળોએ ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ નૈઋત્યનું ચોમાસુ ગુજરાતમાં બેસી ગયું છે અને તેની અસરના ભાગરૂપે ચોમાસુ ક્રમશઃ આગળ વધી રહ્યું છે. આ ઉપરાંત ગુજરાત પર અપર એર સાયકલોનિક સરકયુલેશન સજાર્યું છે. આગામી તા.30ના રોજ રવિવારે બંગાળની ખાડીમાં વધુ એક લો-પ્રેશર સજાર્શે અને તેના કારણે હાલની મોન્સૂન સીસ્ટમને બૂસ્ટ મળશે.