ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી (જીટીયુ)ના બોર્ડ ઓફ ગવર્નન્સમાં રાજકોટના સરસ્વતી એજ્યુકેશન ટ્રસ્ટ અને મહાત્મા ગાંધી એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તથા ગુજરાત પ્રદેશ યુવા ભાજપ્ના મહામંત્રી નેહલભાઈ શુકલની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત મારવાડી શેર્સ એન્ડ ફાઈનાન્સ લિમિટેડના ચેરમેન-મેનેજિંગ ડિરેકટર કેતનભાઈ મારવાડીની બોર્ડ ઓફ ગવર્નન્સમાં નિમણૂક કરવામાં આવી છે.
જીટીયુના રજિસ્ટ્રારે બોર્ડ ઓફ ગવર્નન્સમાં સાત સભ્યોની નિમણૂક કરી છે જેમાં મહેસાણાની ફાર્મસી કોલેજના પ્રિન્સિપાલ ડો.સી.એન. પટેલ, અમદાવાદની લોકમાન્ય બી.એડ. કોલેજના ડાયરેકટર અમિત ઠાકર, અમદાવાદના કેતન આર. પટેલ, રાજુભાઈ શાહ અને ઉત્કંઠ ભંડેરીની નિમણૂક કરવામાં આવી છે.
(AAJKAAL)