ખેડૂતોને બરબાદ કરતાં એચટીબીટી બિયારણ અને નિંદામણનાશક દવા પર પ્રતિબંધ મુકવાની માગણી ભારતીય કિસાન સંઘના રાજકોટ જિલ્લાના પ્રમુખ દિલીપભાઈ સખિયા સહિતની આગેવાનીમાં આવેલા પ્રતિનિધિ મંડળે અધિક કલેકટર પરિમલ પંડયા સમક્ષ કરી હતી.
ખેડૂતોએ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે, હાલ જે કંપની આ પ્રકારની ધૂમ દવાનું વેચાણ કરે છે તે કંપની પાછલા બારણેથી ગેરકાયદેસર રીતે નવા વેચી રહી છે. ભારત સરકારે મંજૂરી આપી ન હોવા છતાં આ પ્રકારની દવાનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાથી તેના અત્યંત ઘાટક અને ગંભીર પરિણામો ખેડૂતો, પશુઆે અને ખેતીની જમીન પર જોવા મળી રહ્યા છે.
ટેકાના ભાવે મગફળી સહિતની ચીજવસ્તુઆેની ખરીદી કરાયા બાદ લાંબો સમય પસાર થઈ જવા છતાં હજુ સુધી અમુક ખેડૂતોને તેના નાણાં ચૂકવાયા નથી. આવી જ રીતે પાક વીમાની ચૂકવણીમાં પણ ભારોભાર અન્યાય થયો છે. જો એક મહિનામાં આ માગણીઆે ન સંતોષાય તો ભારતીય કિસાન સંઘને આંદોલન કરવાની ફરજ પડશે.
અધિક કલેકટર સમક્ષ રજૂઆતમાં અને આવેદનપત્ર આપવામાં પ્રમુખ દિલીપભાઈ સખિયા ઉપરાંત રમેશભાઈ ચોવટિયા, પ્રભુદાસભાઈ મણવર, ભરતભાઈ પીપળિયા, જીવનભાઈ વાછાણી, મનોજભાઈ ડોબરિયા, ઠાકરશીભા, પીપળિયા, રમેશભાઈ હાપલિયા, ધર્મેશભાઈ સોરઠિયા, બચુભાઈ ધામી, જીતુભાઈ સંતોકી, મધુભાઈ પાંભર, શૈલેષભાઈ સીદપરા, અશોકભાઈ મોલિયા, ભાવેશભાઈ રૈયાણી, જાગાભાઈ ઝાપડિયા, કિશોરભાઈ લકકડ, વિનુભાઈ દેસાઈ, કિશોરભાઈ સગપરિયા, કાળુભાઈ, રમેશભાઈ લકકી, મુકેશભાઈ રાજપરા, મગનભાઈ, ઝાલાભાઈ રાતડિયા સહિતનાઆે ઉપસ્થિત રહ્યા હતા.