X Close
X
9925128845

કાશ્મીર મુદ્દે ફ્રાન્સ ભારતની સાથેઃ કહ્યું-‘કોઈ ત્રીજો પક્ષ ન કરે હસ્તક્ષેપ’


skynews-emmanuel-macron-french-president

કાશ્મીર મુદ્દે ફ્રાન્સ ભારતની સાથે છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રાેને કહ્યું કે ભારત અને પાકિસ્તાનને દ્વિપક્ષીય રીતે કાશ્મીર મુદ્દાનું સમાધાન કાઢવું જોઈએ અને ક્ષેત્રમાં કોઈ ત્રીજા પક્ષે હસ્તક્ષેપ કરવો જોઈએ નહી કે હિંસાને ભડકાવવી જોઈએ નહી. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રાેને કહ્યું કે ભારત અને પાકિસ્તાનને દ્વિપક્ષીય રીતે કાશ્મીર મુદ્દાનું સમાધાન કાઢવું જોઈએ અને ક્ષેત્રમાં કોઈ ત્રીજા પક્ષે હસ્તક્ષેપ કરવો જોઈએ નહી કે હિંસાને ભડકાવવી જોઈએ નહી. મેક્રાેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આમને સામનેની બેઠકમાં અનેક મુદ્દાઆે પર ચર્ચા કરી. વાતાર્ બાદ એક જોઈન્ટ પ્રેસ સ્ટેટમેન્ટમાં રાષ્ટ્રપતિ મેક્રાેને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને જમ્મુ અને કાશ્મીર પર ભારત દ્વારા લેવાયેલા હાલના નિર્ણયથી માહિતગાર કયા¯ અને એ પણ જણાવ્યું કે તે સંપૂર્ણ રીતે ભારતની સંપ્રભુતા સંલગ્ન છે.

મેક્રાેને કહ્યું કે મેં તેમને કહ્યું કે ભારત અને પાકિસ્તાને આ મુદ્દે સમાધાન કાઢવું પડશે અને કોઈ ત્રીજા પક્ષે આ ક્ષેત્રમાં હસ્તક્ષેપ કરવો જોઈએ નહી કે હિંસા ન ભડકાવવી જોઈએ. તેમણે કહ્યું કે ક્ષેત્રમાં શાંતિ જાળવી રાખવી જોઈએ અને લોકોના અધિકારોની રક્ષા થવી જોઈએ. ફ્રાંસીસી રાષ્ટ્રપતિએ કહ્યું કે હું થોડા દિવસ બાદ પાકિસ્તાનના વડાપ્રધાન સાથે પણ વાત કરીશ અને તેમને કહીશ કે વાતાર્ દ્વિપક્ષીય હોવી જોઈએ. તેમણે કહ્યું કે ફ્રાન્સ આવતા મહિને ભારતને 36 રાફેલ ફાઈટર વિમાનોમાંથી પહેલું વિમાન આપી દેશે.
મેક્રાેનના નિવેદન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત અને ફ્રાન્સ વચ્ચેની મિત્રતા કોઈ સ્વાર્થ પર ટકેલી નથી, પરંતુ તે સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારાના નક્કર સિદ્ધાંતો પર આધારિત છે. મોદીએ કહ્યું કે બંને દેશ સતત આતંકવાદનો સામનો કરી રહ્યાં છે. અમારો ઈરાદો આતંકવાદ વિરુÙ સહયોગ વ્યાપક બનાવવાનો છે. તેમણે કહ્યું કે ફ્રાન્સ અને ભારત જળવાયુ પરિવર્તન, પર્યાવરણ અને ટેક્નોલોજી સમાવેશી વિકાસના પડકારોનો સામનો કરવા માટે એકસાથે ઊભા છે. મોદીએ કહ્યું કે અમે બધા મળીને એક સુરક્ષિત અને સમૃÙ દુનિયાનો માર્ગ પ્રશસ્ત કરી શકીએ છીએ.

(AAJKAAL)
Aajkaal