વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ માટે એમ.એસ.કે પ્રસાદની અધ્યક્ષતાવાળી સિલેક્શન કમિટી આજે ટીમ ઈન્ડિયાની પસંદગી કરશે. ટીમ ઇન્ડિયા આેગસ્ટથી વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ શરુ કરશે. ભારતીય ટીમ આ પ્રવાસ દરમિયાન 3 ટી-20 ઇન્ટરનેશનલ, 3 વન ડે અને 2 ટેસ્ટ મેચ રમશે.
મીડિયા રિપોર્ટ મુજબ 38 વર્ષના ધોનીએ બીસીસીઆઈને જણાવ્યું છે કે આગામી બે મહિના સુધી તે કોઈ પણ પ્રકારના ક્રિકેટથી દૂર રહેશે. ધોની આગામી 2 મહિના માટે પૈરા સૈન્ય રેજિમેન્ટમાં સામેલ થઇ રહ્યાે છે. તેથી આ સ્પષ્ટ થાય છે કે ધોની વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસે ટીમ ઇન્ડિયાનો હિસ્સો નહી રહે. જોકે વિન્ડીઝ પ્રવાસ માટે આજે સિલેક્શન કમિટી ટીમની પસંદગી કરશે. જેમાં સૌથી વધુ ચર્ચા ધોનીના રિપ્લેસમેન્ટ પર થશે.
ધોનીની જગ્યાએ વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ માટે રિષભ પંત સહિત અન્ય બે-ત્રણ નામો પર ચર્ચા થઈ રહી છે. જેમાં સંજૂ સેમસન અને ઇશાન કિશન પ્રમુખ છે. આપને જણાવી દઈએ કે વર્લ્ડ કપ 2019ની ભારતીય ટીમમાં રિષભ પંતને તક આપવામાં આવી હતી. પરંતુ તેને કોઈ ખાસ કમાલ કરી નહોતી. તેમ છતાં પસંદગીકાર વિન્ડીઝના પ્રવાસે રિષભ પંતને એકવાર ફરી તક આપી ભવિષ્ય માટે તૈયારી કરી શકે છે. રિષભ વિકેટીકીપર સાથે સારો બેટ્સમેન છે. તે મોટાભાગે નંબર ચાર પર બેટિંગ કરે છે. તેથી ટીમ ઇન્ડિયાના મીડલ આેર્ડરની સમસ્યાનો પણ ઉકેલ આવી શકે છે. આ રીતે રિષભ પંતની પસંદગી થાય એવી મજબૂત સંભાવના છે.
ઉપરાંત ઇશાન કિશનની વાત કરીએ તો તે ભારતીય અંડર-19 qક્રકેટ ટીમનો કેપ્ટન રહી ચૂકેલો છે. ઇશાન ટીમ ઇન્ડિયા માટે રમે છે. ઉપરાંત માં મુંબઈ ઈન્ડિયન તરફથી રમે છે. ફસ્ર્ટ ક્લાસ qક્રકેટમાં ઇશાને સારુ પ્રદર્શન કર્યું છે. તેથી વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે ટીમ ઇન્ડિયામાં સામેલ થવા ઇશાનની શક્યતાઆે પણ વધુ છે. સંજૂ સેમસને પણ ઘરેલું ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જોકે માં તેનું પર્ફોર્મેન્સ છેલ્લા કેટલાક સમયથી સારું રહ્યું નથી. પરંતુ તેમ છતાં અનુભવના આધારે વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે સંજૂ સેમસનને સામેલ કરવામાં આવી શકે છે.