સરકાર અયોધ્યા મામલામાં સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કેટલાક સપ્તાહમાં ન્યાસની રચના કરવાને લઈને કામ કરી રહી છે. રામ જન્મભૂમિ-બાબરી મુસ્લિમ મામલામાં સુપ્રીમ કોર્ટના નવમી નવેમ્બરના આદેશ મુજબ કેન્દ્ર સરકાર આગળ વધી રહી છે. કેન્દ્ર સરકાર ન્યાસ અથવા કોઈ અન્ય યોગ્ય સંસ્થાની રચના, તેના સભ્યો, ન્યાસની કામગીરી, ન્યાસના અધિકાર, ન્યાસને જમીનના અધિકાર અને અન્ય તમામ જરૂરી બાબતોને લઈને એક યોજના ઉપર કેન્દ્ર સરકાર કામ કરી રહી છે. કેન્દ્ર સરકારે આ તમામ વિષયોને ધ્યાનમાં લઈને એક યોજના તૈયાર કરવા માટે સુચના આપવામાં આવી છે. ગૃહમંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ આ સંદર્ભમાં માહિતી આપતા કહ્યું છે કે, અમે આ મામલામાં કામ કરી રહ્યા છે. હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા ત્રણ મહિનાના સમયની અંદર જ ટ્રસ્ટની રચના કરી દેવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઝારખંડની ચૂંટણી રેલીમાં કહી ચુક્યા છે કે આગામી ચાર મહિનામાં રામમંદિર નિર્માણની કામગીરી શરૂ થઈ જશે. પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં વિવાદાસ્પદ સ્થળ પર ન્યાસ દ્વારા રામ મંદિરના નિર્માણના માર્ગને મોકળો કર્યો હતો. સુન્ની વક્ફ બોર્ડને ઉત્તરપ્રદેશના આ પ્રવિત્ર નગરમાં મુખ્ય સ્થળ ઉપર જ નવી મÂસ્જદના નિર્માણ માટે પાંચ એકર જમીન આપવાની પણ સુચના આપી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, અયોધ્યામાં સંબંધિત સ્થળ ઉપર મંદિરના નિર્માણ માટે ત્રણ મહિનાની અંદર જ ન્યાસની રચના કરવામાં આવશે. હિન્દુઓની આસ્થા છે કે, આ જ સ્થળ ઉપર ભગવાન રામનો જન્મ થયો હતો. જેના કારણે આ મામલામાં લડાઈ ચાલી રહી હતી. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ મંદિર નિર્માણનો માર્ગ મોકળો થઈ ચુક્યો છે. જાકે, હાલમાં સ્થિતિ હળવી બની ચુકી છે.
(AAJKAL)