મલેશિયા એરલાઈન્સ ફ્લાઈટ 370એ 8 માર્ચ 2014ના રોજ કુઆલાલંપુર આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી પોતાના નિર્ધારીત સમય પર ઉડાણ ભરી હતી પરંતુ ત્યારબાદ તે રડારથી ગાયબ થઈ ગયું હતું. તેમાં 239 લોકો સવાર હતાં. ત્યારબાદ પ્લેનના અવશેષો હિન્દ મહાસાગરમાં મળી આવ્યાં હતં. આ મામલે એક મેગેઝીનના અહેવાલમાં ચાેંકાવનારી માહિતી આપવામાં આવી છે. દાવો કરવામાં આવ્યો છે કે આ વિમાનને તે વખતે સંભાળી રહેલા પાઈલટ ઝાહિરી અહેમદ શાહે જાણી જોઈને વિમાન ક્રેશ કર્યું હતું.
મેગેઝીન ધ એટલાન્ટિકના એક રિપોર્ટ મુજબ શાહ ડિપ્રેશનથી પીડાતો હતો. તેના અંગત જીવનમાં ઉથલપાથલ મચેલી હતી. તે બે મોડલ્સ માટે પાગલ હતો. તેમની તસવીરો તેણે ઈન્ટરનેટ પર જોઈ હતી. એર હોસ્ટેસની સાથે સંબંધ હોવાના કારણે તેની પત્નીએ પણ તેને છોડી દીધો હતો. તેની માનસિક સ્થિતિ સારી નહતી.
રિપોર્ટના લેખકે દાવો કર્યો છે કે તપાસમાં એવું સામે આવ્યું છે કે વિમાનના ઉપકરણોને મેન્યુઅલી બંધ કરવામાં આવ્યાં હતાં. એટલું જ નહી પરંતુ પાઈલટ પહેલેથી જ વિમાનને ક્રેશ કરી નાખવાનું મન બનાવી ચૂક્યો હતો. તેને અંજામ આપતા પહેલા તે વિમાનને એટલી Kચાઈ પર લઈ ગયો કે જ્યાં વિમાનની અંદર આેક્સિજનની કમી આવી જાય છે.
મેઈન કેબિનમાં આેક્સિજન માસ્ક ફક્ત 15 મિનિટ સુધી સહારો આપી શકે તેમ હોય છે. શાહની પાસે કોકપિટમાં આેકિસજન હશે, આથી તે કલાકો સુધી Kચાઈ પર વિમાન લઈને ફરતો રહ્યાે. જેના કારણે અન્ય લોકો આેક્સિજનની કમીથી બેહોશ થઈ ગયા અને ત્યારબાદ તેમના મોત થઈ ગયાં હશે. એટલે કે વિમાન ક્રેશ થયું તે પહેલા જ મોટા ભાગના લોકોના મોત થઈ ચૂક્યા હોવાનો દાવો મેગેઝીનમાં કરાયો છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે પહેલા શાહ વિમાનને Kચાઈ પર લઈ ગયો અને ત્યારબાદ વિમાનને સીધુ નીચેની તરફ વાળી દીધુ. જેનાથી વિમાન પૂરપાટ ઝડપે નીચે આવ્યું અને સમુદ્રમાં ક્રેશ થઈ ગયું.
અત્રે જણાવવાનું કે આ મામલે 495 પાનાના રિપોર્ટમાં પણ તેનો ઉલ્લેખ કરાયો હતો હતો કે પ્લેનને પોતાના નિર્ધારિટ રુટથી બીજી બાજુ લઈ જવા માટે કંટ્રાેલ્સ સાથે જાણી જોઈને છેડછાડ થઈ હતી. જો કે આ માટે કોઈને જવાબદાર ઠેરવવામાં આવ્યાં નહતાં.
(AAJKAAL)